28 December 2012

♥☀♥ ભાવનગરમાં ફાજલ શિક્ષકોની જગ્યા ભરવાના મામલે ઈ.આઈ. (એજ્યુકેશન ઈન્સપેક્ટર્સ) દ્વારા તપાસની કાર્યવાહી શરૂ ♥☀♥

☀ધો-૮ને ઉચ્ચત્તર પ્રાથમિકમાં સમાવેશ કરવાથી અસંખ્ય શિક્ષકો ફાજલ થયા હતા. શિક્ષણ વિભાગ દ્વારા ભાવનગર શહેર અને જિલ્લાની માધ્યમિક શાળા અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં ૯૫ જેટલા વર્ગ વધારવા અંગેની દરખાસ્તને મંજૂરી મળતા ફાજલ થયેલા શિક્ષકોને શિક્ષણ તંત્ર દ્વારા જગ્યા ભરવા માટેની રિ-કોલની કાર્યવાહીનો આરંભ થઈ ગયો છે.

☀આ જગ્યા ભરવા માટે એજ્યકેશન ઈન્સ્પેકટર્સને પોતાના બીટમાં તપાસ કરવા માટેની સુચના અપાઈ છે.જેને પગલે આ એજ્યુકેશન ઈન્સપેક્ટર્સ દ્વારા તપાસની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.ઈ.આઈ. (એજ્યુકેશન ઈન્સપેક્ટર્સ)ના અભિપ્રાય બાદ શિક્ષકોને રિ-કોલના ઓર્ડરો આપવામાં આવશે.

No comments: