07 September 2014

HAPPY TEACHERS DAY "'ડોં. સર્વપલ્લી રાધાકૃષ્ણન''' વિશે જાણીએ....





HAPPY TEACHERS DAY
"'સર્વપલ્લી રાધાકૃષ્ણન'''

➣ જન્મ તારીખ = ૫ સપ્ટેમ્બર ૧૮૮૮

➣ જન્મ સ્થળ = તિરૂત્તાની, તામિલ નાડુ, ભારત

➣ મૃત્યુ તારીખ = ૧૭ એપ્રિલ ૧૯૭૫

➣ મૃત્યુ સ્થળ = ચેન્નઈ, તામિલ નાડુ, ભારત

➣ કાર્યકાળ = પ્રથમ ઉપરાષ્ટ્રપતિ (૧૯૫૨-૧૯૬૨) અને દ્વિતિય ભારતના રાષ્ટ્રપતિ (૧૯૬૨-૧૯૬૭)

➣ અભ્યાસ = તત્વજ્ઞાન વિષયમાં પી.એચ.ડી.
ખિતાબ = ભારત રત્ન, સર (બ્રિટીશ)


➣ ધર્મ = વેદાંત,હિંદુ

➣ જીવનસાથી = શિવકામ્મા
સંતાન = ૫ પુત્રી,૧ પુત્ર

➣ '''સર્વપલ્લી રાધાકૃષ્ણન''' ભારતીય તત્વચિંતક અને રાજપુરૂષ હતા.
તેઓ વિવિધ ધર્મ અને તત્વચિંતનનાં જાણીતા વિદ્વાન હતા, તેઓ ૨૦મી સદીનાં એ વિદ્વાનોમાંના એક હતા, જેમણે પૂર્વીય અને પશ્ચિમી વિચારો અને તત્વચિંતન વચ્ચે સેતુબંધ સમાન કાર્ય કર્યું હતું. તેઓએ ભારતીય તત્વચિંતનને પશ્ચિમી વિચારસરણીની ઓળખ કરાવી અને પશ્ચિમી જગતને, અંગ્રેજીભાષીઓને , ભારતીય ધાર્મિક અને ચિંતનીય સાહિત્યનો રસાસ્વાદ કરાવ્યો હતો.
તેઓ ભારતનાં પ્રથમ ઉપરાષ્ટ્રપતિ (૧૯૫૨-૧૯૬૨) અને દ્વિતિય ભારતના રાષ્ટ્રપતિ (૧૯૬૨-૧૯૬૭) હતા. તેઓનો જન્મદિવસ ભારતભરમાં શિક્ષક દિન તરીકે ઉજવાય છે.

== જીવન ==

➣ સર્વપલ્લી રાધાકૃષ્ણન
સર્વપલ્લી તેમની અટક છે, અને રાધાકૃષ્ણન તેમનું નામ છે નો જન્મ, તામિલ નાડુનાં ચેન્નઈ (જુનું મદ્રાસ થી ઉતર-પશ્ચિમમાં ૬૪ કિ.મી. દુર આવેલ ''તિરૂત્તાની'' નામકગામમાં, એક મધ્યમ વર્ગીય બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. તેઓની માતૃભાષા તેલુગુહતી. તેઓનું બાળપણ ''તિરૂત્તાની'', ''તિરૂવેલુર'' અને ''તિરુપતિ બાલાજી તિરૂપતિ' ' માં વિત્યું હતુ.

No comments: