30 June 2014

રાજકોટઃ શિક્ષકોનો ભરતી મેળો, 130ને ઓર્ડર અપાયા...

રાજકોટની કરણસિંહજી હાઇસ્કૂલમાં શિક્ષકોનો ભરતી મેળો યોજાયો  રાજકોટ જિલ્લામાં પ્રાથમિક સરકારી શાળાઅોમાં શિક્ષકોનો પૂરતો સ્ટાફ ન હોય તે માટે રાજકોટની કરણસિંહજી હાઇસ્કૂલમાં ધો.1થી પના સરકારી શાળામાં નવી નિમણૂક માટે શિક્ષકોના ભરતી મેળાનું આયોજન આજે કરવામાં આવ્યું હતું. જેમાં 300 શિક્ષકોમાંથી 130 શિક્ષકોને અોર્ડર આપવામાં આવ્યા હતા. ભરતી પામેલા શિક્ષકોનો માળિયામિયાણા, વાંકાનેર, જસદણ વગેરે સલહિતના તાલુકાના અંતરિયાળ ગામડામાં સમાવેશ કરવામાં આવ્યો છે. અોર્ડર પ્રાપ્ત તમામ શિક્ષકોને 10 વર્ષ સુધી નિમણૂક થયેલ સ્થળે જ નોકરી કરવાની રહેશે તેવા બોન્ડ લખાવામાં આવશે. આથી નિમણૂક પ્રાપ્ત શિક્ષકોની 10 વર્ષ સુધી બદલી થશે નહીં.

No comments: